થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, શું છે મામલો 1 - image

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ આજે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.  ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં આજે શુક્રવારે ફુકેત એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ તાત્કાલિક ધોરણે લેન્ડ થઈ હતી.

No Turkish Technic link to Air India crash: Fact check line | Daily Sabah

ફુકેત એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયાની ફુકેતથી દિલ્હી જઈ રહેલી એઆઈ ૩૭૯ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ પ્લેનમાં ૧૫૬ મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. 

Ahmedabad plane crash: 5 common reasons why air mishaps happen – Firstpost

ફ્લાઈટ ટ્રેકર ફ્લાઈટટ્રેડર24 અનુસાર, આ ફ્લાઈટ ફુકેત એરપોર્ટથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક અંદમાન દરિયાથી પરત ફરી થાઈ આઈલેન્ડ ફુકેત એરપોર્ટ પર પરત ફરી હતી.  

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *