પીએમ મોદીની બેઠક બાદ સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય

અમદાવાદ પ્લેન ક્રેશ: યાત્રીઓના સ્વજનો માટે રહેવા-વાહનવ્યવહારની સુવિધા, હેલ્પલાઇન નંબર જાહેર

Ahmedabad Plane Crash LIVE: PM મોદીની બેઠક બાદ સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય 2 - image

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાના જે પ્રવાસી/હતભાગીઓના મૃતદેહો અહીં છે, તેમના ડીએનએ મેચ થયા બાદ સગાઓને સોંપવામાં આવશે. હાલ ડીએનએ લેવાની પ્રક્રિયા શરૂ છે. સેમ્પલ લીધા બાદ મેચિંગ લેબ માટે મોકલવામાં આવશે. જોકે, ઘટનાની ગંભીરતા અને મૃતદેહોની સ્થિતિ જોતા સમગ્ર ડીએનએ મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3 દિવસથી વધુનો સમય લાગી શકે છે.  મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનો ૫૩૫૭૩૭૩૮૩૧ અને ૬૩૫૭૩૭૩૮૪૧ પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.

IANS LIVE

અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો અને આટલા લોકોને ગુમાવ્યાં બાદ હું આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના. 

US News: US News, Top News in India, US election news, Business news,  Sports & International News | Times of India

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે ડીએનએ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે. આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે-ધીમે મૃતકોની ઓળખ મુજબ, મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. આ મૃતદેહોમાં બી. જે. મેડિકલ કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. 

PM Modi to visit RSS headquarters in Nagpur on March 30, first since  assuming office in 2014 - Yes Punjab News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા.

News in shorts | Get full news on click | News in 100 words.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હૉસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. 

London-bound Air India flight with more than 240 aboard crashes after  takeoff from Ahmedabad, India | WJTV

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર છે. આ સાથે પીએમ મોદી સિવિલ હૉસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે. 

Home - Yes Punjab News

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદી 

Ahmedabad Plane Crash LIVE: PM મોદીની બેઠક બાદ સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય 3 - image

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *