હળદર માં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીરમાં બળતરા ઘટાડે છે, રોગો સામે લડવામાં મદદ કરે છે અને એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે. અહીં જાણો દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળુ દૂધ પીવાના ફાયદા
દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ આયુર્વેદની એક એવી ભેટ છે જે તમારા શરીર અને મન બંનેને ફાયદો કરે છે. હળદરવાળું દૂધ રોગપ્રતિકારક શક્તિ માટે વરદાનથી ઓછું નથી! આયુર્વેદમાં હળદરને એક ઉત્તમ દવા માનવામાં આવે છે. હળદર ત્વચાના રોગો, બળતરા અને ઝેરી તત્વોને મટાડવા માટે જાણીતી છે.
હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીરમાં બળતરા ઘટાડે છે, રોગો સામે લડવામાં મદદ કરે છે અને એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે. બીજી તરફ, આયુર્વેદમાં દૂધને શરીરની મૂળભૂત શક્તિ વધારવા માટે માનવામાં આવે છે. જ્યારે તે બંને મળે છે, ત્યારે તે ત્રિદોષ એટલે કે વાત, પિત્ત, કફને સંતુલિત કરે છે.