ભારતમાં વધી રહેલા કોરોના કેસ દરમિયાન માલદિવ્સમાં વેકેશન મનાવી રહેલા સેલેબ્સ પર એક્ટર ન્વાઝુદ્દીન સિદ્દીકીએ ગુસ્સો ઠાલવ્યો છે. એક વાતચીતમાં સ્ટાર્સ દ્વારા વેકેશન ફોટો પોસ્ટ કરવાને લઈને રિએક્શન માગ્યું ત્યારે તેમણે કહ્યું, ‘આ એન્ટરટેઈનમેન્ટ સેલિબ્રિટી આવા સમયમાં તેમના વેકેશનના ફોટોઝ પોસ્ટ કરે છે. દુનિયા હાલ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.’
સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે નવાઝે કહ્યું, લોકો પાસે ખાવાનું નથી અને તમે લોકો પૈસા ઊડાવી રહ્યા છો. થોડી તો શરમ કરો. મારા ખ્યાલથી વેકશન માણવું ખોટું નથી, પણ દેખાડો કરવું ખોટું છે.
‘દેખાડો કેમ કરો છો?’
વધુમાં એક્ટરે કહ્યું, આ લોકોએ માલદિવ્સને એક તમાશો બનાવ્યું છે, મને ખબર નથી ટુરિઝ્મ ઇન્ડસ્ટ્રીમાં શું અરેંજમેન્ટ છે, પરંતુ માણસાઈને નાતે તમે તમારું વેકેશન તમારા સુધી જ સીમિત રાખો. અહીં દરેક જગ્યાએ દુઃખ છે. કોવિડ કેસ સતત વધી રહ્યા છે. જો દિલ જેવું હોય તો જે લોકો પીડિત છે તેમની સામે દેખાડો ના કરો.
‘મારા માટે મારું હોમટાઉન બુઢાના જ મારું માલદિવ્સ છે’
નવાઝે જણાવ્યું, એક કમ્યુનિટી તરીકે આપણે ભારતના એન્ટરટેનર્સને ગ્રો કરવાની જરૂર છે. આથી મારો માલદિવ્સમાં વેકેશન ગાળવાનો કોઈ પ્લાન નથી. હું મારા હોમટાઉન બુઢાનામાં મારા પરિવાર સાથે છું અને આ જ મારું માલદિવ્સ છે.
ઘણા સેલેબ્સ માલદિવ્સ ગયા તો ઘણા ત્યાંથી પરત આવ્યા
નવાઝનું આ સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે રણબીર કપૂર-આલિયા ભટ્ટ, ટાઈગર શ્રોફ-દિશા પટની એન સારા અલી ખાન માલદિવ્સ ગયા છે અને માધુરી દીક્ષિત, જાહન્વી કપૂર ઉપરાંત અન્ય ઘણા બધા સેલેબ્સ વેકેશન માણીને મુંબઈ આવી ગયા છે અને તેઓ સોશિયલ મીડિયા પર હોલિડેની મેમરીઝ શેર કરી રહ્યા છે.
માલદિવ્સ બન્યું નવું ગોવા:એક ડઝનથી પણ વધુ બોલિવૂડ અભિનેત્રીઓના માલદિવ્સમાં ધામા












