જ્યારે સરકાર તમામ કંપનીઓને 5 જી પરીક્ષણ માટે મંજૂરી આપી રહી છે, તો બીજી બાજુ, સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 જી પરીક્ષણને કારણે કોરોના મહામારી આવી છે.
આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં COVID-19 ની બીજી તરંગ 5 G ટાવરોના પરીક્ષણને કારણે આવી છે. તેમાં જણાવાયું છે કે “જેમ જૂની જનરેશનના મોબાઇલ નેટવર્ક (4G) એ પક્ષીઓને માર્યા, તેવી જ રીતે 5G નેટવર્ક પ્રાણીઓ અને માણસોને ખતમ કરશે.” આ સાથે આ પોસ્ટમાં આ ટાવર્સ લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને વિરોધ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
પરંતુ જ્યારે આ વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી તો આ દાવો ખોટો નિકળ્યો. PIB ની ફેક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવાને નકલી ગણાવ્ય છે. પીઆઈબીએ લખ્યું- એક ઓડિયો મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યોમાં 5જી નેટવર્ક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે અને તેને કોવિડનું નામ આપવામાં આવી રહ્યું છે.
PIB ની Fact Check ટીમે કહ્યું કે, આ દાવો ખોટો છે. સાથે ટીમે લોકોને આગ્રહ કર્યો કે, કોરોના કાળમાં મહેરબાની કરી આવા સંદેશ શેર કરી ભ્રમ ન ફેલાવો. હકીકતમાં આ વાયરલ ઓડિયોમાં બે લોકોને વાત કરતા સાંભળી શકાય છે, જેમાં એક વ્યક્તિ કોરોનાથી થઈ રહેલા મોતોને 5જી ટેસ્ટિંગનું નામ આવી રહ્યો છે. તે આ ઓડિયોમાં કહે છે કે ટેસ્ટિંગને કારણે લોકોનું ગળુ સુકાય રહ્યું છે અને તેવામાં દાવો કરવામાં આવ્યો છે કે મે સુધી તેનું ટેસ્ટિંગ થઈ જશે તો મૃત્યુ બંધ થઈ જશે.
જો કે આ વાયરલ પોસ્ટમાં અન્ય કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. એક ખાનગી સમાચાર સંસ્થાએ તેના અહેવાલમાં લખ્યું છે કે ભારતમાં 5G પરીક્ષણ તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેનાથી સંબંધિત નાના પરીક્ષણો હાલમાં કરવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે Covid-19 ના કેસ અને મૃત્યુને 5G નેટવર્ક સાથે કંઈ લેવાદેવા હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી.
વાયરલ મેસેજમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે
આ વાયરલ મેસેજ હિન્દીમાં લખાયો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની બીજી લહેર 5G ટાવર્સના પરીક્ષણને કારણે આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની કિરણોત્સર્ગ હવાને ઝેરી બનાવે છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
આ સાથે 4G, 5G રેડિયેશનની આડઅસરો વિશેની સૂચિ પણ આપવામાં આવી છે અને તે જ સમયે લોકોને આ તકનીકીનો વિરોધ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તસવીર અને આવા કેટલાક ટેક્સ્ટને ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, લોકો સત્યને જાણ્યા વિના તેને સતત શેર કરી રહ્યાં છે.