Nepal માં ભારે વરસાદથી પૂર, 7 લોકોનાં મોત, 50 લોકો લાપતા

Nepal માં મુશળધાર વરસાદના લીધે પૂર આવ્યું છે. જેમાં 7 લોકોનાં મોત થયાં છે અને 50 જેટલા લોકો લાપતા છે. ભારે વરસાદ(Rain)ના કારણે અનેક પુલોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી સૌથી વધુ અસર મધ્ય નેપાળમાં થઇ છે . જેમાં સિંધુપાલચોકની મેલમચી નદીમાં પૂર(Flood)ની સ્થિતિ છે. જ્યારે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. મંગળવારે રાત્રે મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 50 થી વધુ લોકો લાપતા

બે કોંક્રિટ પુલ અને પાંચથી છ સસ્પેન્શન બ્રીજ ધરાશાયી

Nepal માંભારે વરસાદને કારણે સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સિંધુપાલ ચોકમાં બે કોંક્રિટ પુલ અને પાંચથી છ સસ્પેન્શન બ્રીજ ધરાશાયી થયા છે. કૃષિની જમીન અને મત્સ્ય ઉદ્યોગ સ્થળો ડૂબી ગયા છે. જ્યારે હેલાંબા નગરમાં પોલીસ ચોકી (સશસ્ત્ર પોલીસ દળ કેમ્પ) અને મેલમચી ખાતે પીવાના પાણી પ્રોજેક્ટ સ્થળ પૂર(Flood) જેવી પરિસ્થિતિને કારણે તે પહોંચવું મુશ્કેલ બન્યું છે.

નીચાણવાળા વિસ્તારમાં આશરે 200 ઘરો જોખમમાં

Nepal માંમેલમચી નદીના કાંઠે આવેલા ગામોમાં 300 જેટલી ઝૂંપડા ધોવાઈ ગઈ હતા. જ્યારે લમજંગ જિલ્લામાં આશરે 15 મકાનો ધોવાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારમાં આશરે 200 ઘરો જોખમમાં છે. સિંધુપાલચોકના મુખ્ય જિલ્લા અધિકારી અરૂણ પોખરેલે જણાવ્યું હતું કે નેપાળ પોલીસ દળ અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *