દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપ આદમી પાર્ટીના નેતા (AAP) આજે સુરતની મુલાકાતે છે. અહેવાલો અનુસાર 24 જૂને સુરત આવવાના હતા પરંતુ તબિયતના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. મનીષ સિસોદિયાના આગમનથી તેમના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરો ઉમટી પડ્યા. આપના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પૂર્વે રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવા માટે આમ આદમી પાર્ટી( AAP) કાર્યરત થઇ છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) આજે એટલે કે રવિવારે સુરતની મુલાકાતે આવ્યા છે. એરપોર્ટથી તેઓ સર્કીટ હાઉસ પહોંચ્ય. અને હવે તેઓ 12 વાગે એક પત્રકાર પરિષદને સંબોધિત કરશે.