નવસારી જિલ્લામાં 500 કરોડની જમીન કૌભાંડ મામલે 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ખરીદી કરેલી જમીનોમાં ખેડુત ખાતેદાર તરીકે રેવન્યુ રેકર્ડે નોંધ કરાવી ખોટા અને ફોર્જડ બનાવેલ સ્ટેમ્પ, દાખલાનો સરકારી કચેરીમાં નાશ કરી તંત્રને ગેરમાર્ગે દોરી પુરાવાનો નાશ કર્યો હોવાનો આરોપ ફરિયાદી વિમલ પોદદાર દ્વારા લગાવવામાં આવ્યો છે.
500 કરોડની જમીન કૌભાંડ મામલે 11 લોકો સામે જલાલપોર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.