Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વખતે પરંપરાગત  રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સવારે 10 કલાકે ગજરાજોની પૂજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત બપોરે 2 કલાકે મંદિરમાં ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે.

સાંજે 6-30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી  અને નિતીન પટેલ દ્વારા વિશેષ પુજા કરવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે ભગવાનની મહાઆરતી કરવામાં આવશે.

દર વર્ષ પરંપરાગત રીતે સોનાવેશની પુજામાં ભગવાનના સોનાના વેશની પુજા કરવામાં આવે છે અને જગન્નાથને સોનાનો શણગાર કરવામાં આવે છે. આ વખતે યજમાનો દ્વારા સોનાવેશની પૂજા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથને વર્ષમાં એક વખત જ સોનાનો શણગાર કરવામાં આવે છે. જેથી, ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે.

અમદાવાદમાં રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી છે, ત્યારે  આજે રથયાત્રા પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ભક્તો ભગવાનના સોનાવેષમાં દર્શન કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *