ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક, ભીખુભાઈ દલસાણિયા ની હકાલપટ્ટી

ગુજરાત રાજ્યના  ભાજપના સંગઠન મહામંત્રી કે જે નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાય છે તથા છેલ્લાં બે દાયકાથી સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા એવા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાની જગ્યા એ રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.

નવાઈ ની વાત એ છે કે આ નિમણૂકથી ભાજપના નેતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે કેમ કે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર ગુજરાત ભાજપના નેતાઓ માટે પણ બહુ જાણીતું નામ નથી. આ પહેલાં બિહારમાં ભાજપના સહ-સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા રત્નાકરનો ગુજરાત સાથે બહુ સંપર્ક નથી તેથી ભાજપના નેતાઓ પણ આ નિમણૂકથી ચોંકી ગયા છે. રત્નાકરને બિહાર ભાજપમાં નવા ઉભા કરાયેલા સહ-સંગઠન મહામંત્રીના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા.મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ભારત ના ઉત્તરપ્રદેશ રાજ્ય ના દેવરિયાના વતની રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા. આમ રત્નાકરનું યોગી અને મોદી બંને સાથે કનેક્શન છે. રત્નાકરે કાશી અને વારાણસી બંને મતવિસ્તારોમાં ભાજપ સંગઠનને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ હતી. રત્નાકરે બિહારમાં પણ સારી કામગીરી કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે બેઠતો જીતાડવામાં સફળતા મેળવી હતી.

નવા સંગઠન મંત્રી એવા રત્નાકર પહેલાં મોદીના મતવિસ્તાર એવા કાશીની જવાબદારી સંભાળતા હતા. જો કે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બનતાં ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપની કારમી હારના પગલે ભાજપે રત્નાકરને ગોરખપુરમા સંગઠનની પણ જવાબદારી સોંપી હતી. લોકસભાની 2019ની ચૂંટણીમાં ગોરખપુર લોકસભા બેઠક ફરી જીતીને રત્નાકરે પોતાની તાકાત સાબિત કરી પછી તેમને 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સહ-સંગઠન મહામંત્રી બનાવાયા હતા. બિહારમાં તેમણે સારૂ પ્રદર્શન કરતાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને ગુજરાતના સંગઠન મહામંત્રી તરીકે નિમાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *