ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ભારતીય ઓલિમ્પિક રમતવીરોને (Indian Olympics)વિશેષ અતિથિના રૂપમાં લાલ કિલ્લા પર (Independence Day) આમંત્રિત કરશે. ભારતીય ઓલિમ્પિક દળને (Olympics 2020) પીએમ વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ આપશે. પીએમ તે સમયની આસપાસ તે બધાને વ્યક્તિગત રૂપથી મળશે અને વાતચીત પણ કરશે. ભારતનું 228 સદસ્ય દળ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યું છે. જેમાં 119 ખેલાડી સામેલ છે. ભારત ના ઓલિમ્પિક દળમાં પીવી સિંધૂ, મનુ ભાકર, એમસી મેરિકોમ, મીરાબાઇ ચાનૂ, વિનેશ ફોગાટ સામેલ છે.
જાણીતું છે કે આ પહેલા મોદીએ ઓલિમ્પિકમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ માટે મહત્વનો સંદેશો આપ્યો હતો. પીએમે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને આવો જોશ અને ઝનૂન ત્યારે આવે છે જ્યારે યોગ્ય પ્રતિભાને પ્રોત્સાહન મળે છે. તેમણે કહ્યું કે આપણા ખેલાડી દરેક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં નવા ભારતનો બુલંદ આત્મવિશ્વાસ દરેક રમતમાં જોવા મળી રહ્યો છે. આપણા ખેલાડી પોતાનાથી પણ શાનદાર ખેલાડીઓ અને ટીમોને સારો એવો પડકાર આપી રહ્યા છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓનો જોશ, ઝનૂન આજે સર્વોચ્ચ સ્તર પર છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે ટેલેન્ટની ઓળખ થાય છે, તેમને પ્રોત્સાહન મળે છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે વ્યવસ્થા બદલાય છે, પારદર્શી હોય છે. આ નવો આત્મવિશ્વાસ ન્યૂ ઇન્ડિયાની ઓળખ બની રહ્યો છે. ભવિષ્ય માટે ટીમને શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે ભારતીય ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી રહેશે.