નિરવ મોદીની વધુ 500 કરોડની સંપત્તિ બેંકને સોંપાશે; સપ્તાહમાં બીજી વખત સંપત્તિ બેંકને સોપાઇ

મુંબઇની એક વિશેષ કોર્ટે ભાગેડુ નિરવ મોદીની કંપનીઓની 500 કરોડ રૂપિયાની સંપત્તિને પંજાબ નેશનલ બેંકને સોપી દેવા અનુમતી આપી દીધી છે. બે સપ્તાહમાં ત્રીજો એવો આદેશ છે કે જેમાં નિરવ મોદીની કંપનીઓની સંપત્તિને બેંકને સોપવામાં આવી રહી છે. આ બધી સંપત્તિઓનું કુલ મુલ્ય 1000 કરોડ રૂપિયા છે.

નિરવ મોદીને ડિસેમ્બર 2019માં ભાગેડુ આિર્થક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. નિરવ અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડિથી 14000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ છે. હાલમાં જ ઇડી દ્વારા પણ તેની સંપત્તિઓને અટેચ કરવામાં આવી હતી.

આ પહેલા કોર્ટે પીએનબી દ્વારા આ વર્ષે જુલાઇમાં 108.3 કરોડ રૂપિયાની ફાયરસ્ટાર ઇંટરનેશનલ (એફઆઇએલ) અને 331.6 કરોડ રૂપિયાની પાયરસ્ટાર ડાયમંડ ઇંટરનેશનલ પ્રાઇવેટ લિ.ની સંપત્તિઓને જારી કરવાની માગ કરતી અરજીઓને અનુમતિ આપી દીધી હતી.  પીએનબીએ આ બે કંપનીઓને આપવામાં આવેલા લોનના બદલામાં જે સંપત્તિ ગિરવી રાખવામાં આવી હતી તેને જારી કરવાની માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *