વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે આપણને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નહી. દિશા નિર્દેશ વાસ્તુની આવો જાણીએ કેટલીક વાસ્તુ ટીપ્સ..
પૂજા ઘર– ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં બનાવું સૌથી સારું રહે છે. જો આ દિશામાં પૂજા ઘર બનાવું શકય ન હોય, તો ઉત્તર-દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે પણ ધ્યાન રાખો કે ઈશાન ખૂણો પૂજા ઘર માટે સર્વશ્રેષ્ઠ દિશા છે. પૂજા ઘરથી અડીને કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહી હોવું જોઈએ.
- પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહી કરવી જોઈએ કારણકે પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિનો ધ્યાન ઘરમાં એવી રીતે નહી રખાય જેમ રાખવું જોઈએ, આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવા જોઈએ.
- સીડી નીચે પૂજા ઘર નહી હોવું જોઈએ.
- ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં ક્યારેય નહી હોવી જોઈએ.
- પૂજા ઘર અને રસોડુ કે બેડરૂમ એક જ રૂમમાં નહી હોવા જોઈએ.
- પૂજા ઘર કે ઉત્તર-પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો.
બેડરૂમ: ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં શકય ન હોય, તો ઉત્તર- પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
- ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશા માં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શકય ન હોય, તો ઉત્તર- પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
- ઉત્તર-પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહી હોવું જોઈએ.
રસોઈઘર: રસોડા માટે દક્ષિણ -પૂર્વ દિશા સૌથી સારી હોય છે.
સંડાસ માટે દક્ષિણ-પશ્ચિમ દિશા સર્વશ્રેષ્ઠ છે.
પગથીયા: ઘરની સીડી સામેની તરફ નહી હોવી જોઈએ. અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહી આવવી જોઈએ.
- સીડીના પાયદાનની સંખ્યા વિષમ 21, 23, 25 વગેરે હોવી જોઈએ.
- સીડી નીચે કબાટ નહી મૂકવા જોઈએ.
- સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો. અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ.
- ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહી હોવું જોઈએ તેમાં પલ્લા જરૂ લગાવા જોઈએ.
- સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ.
દરવાજા: ઘરના પ્રવેશ દ્વારમાં ૐ કે સ્વાસ્તિક બનાવો અથવા તેની થોડી મોટી આકૃતિ લગાવો. ઘરનો મુખ્ય બારણો દક્ષિણ મુખી નહી હોવું જોઈએ.
ફોટા: શયનકક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહી લગાવી જોઈએ.
- જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહી મૂકવા જોઈએ.
- મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં નહી લગાવા જોઈએ કારણકે તેમાં કલેશ ક્યારેય ખત્મ નહી થાય.
॥संपर्क॥