કોરોનાકાળમાં મોટા ભાગના લોકોની આવક ઘટી છે. આવા સમયે આપ પણ જો વધારાની આવક શોધતા હોવ તો આપના માટે શાનદાર પ્લાન વિશે અમે અહીં આપને જણાવવા જઈ રહ્યા છીએ. જો આપ કમાણી કરવાનો અવસર શોધી રહ્યા હોવ તો, ભારતીય રેલ્વે ખાનપાન અને પર્યટન નિગમ સાથે જોડાઈને સારી એવી કમાણી કરી શકો છો. હકીકતમાં જોઈએ તો, આઈઆરસીટીસીના એજન્ટ બનીને કેટલાય લોકો સારામાં સારી આવક રળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ભારતીય રેલવેની સહયોગી કંપની IRCTC ને રેલ્વે ટિકિટ બનાવવા માટે એજન્ટ બનવાનું હોય છે. એટલે કે આપની પોઝિનલ રેલ ટ્રેવલ સર્વિસ એજન્ટની હોય છે.
ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. રેલ્વેનું ટૂરિઝમ અને કેટરિંગ યુનિટ આઇઆરસીટીસી ઓનલાઇન ટિકિટ બુકિંગ / રદ કરવાની પણ સેવા આપે છે. જણાવી દઈએ કે બુક કરાવેલ કુલ અનામત ટિકિટોમાંથી 55% ઓનલાઇન બુક કરાય છે. નોંધનીય છે કે આઈઆરસીટીસી પાસે ટિકિટ બુકિંગ એજન્ટો પણ છે જે અમર્યાદિત ઇ-ટિકિટ બુક કરાવી શકે છે.
અહીં નોંધનીય છે કે આરટીએસએ યોજના મૂળરૂપે 1985 માં લાગુ કરવામાં આવી હતી. આમાં, એજન્ટને ટ્રેનની ટિકિટ બુક કરવાના બદલામાં કમિશન મળે છે. જ્યારે કોઈ એજન્ટ વપરાશકર્તા લોગ ઇન કરે છે, ત્યારે આઈઆરસીટીસી એપ્લિકેશન ડિજિટલ પ્રમાણપત્રને પ્રમાણિત કરશે અને જો પ્રમાણિત થઈ જાય, તો તે ટિકિટ બુક કરાવવાની સંખ્યા પર કોઈ પ્રતિબંધ લાદ્યા વગર ફક્ત ઇ-ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે. આઇઆરસીટીસી એજન્ટ તરીકે, તમને નોન-એસી વર્ગ હોવા પર PNR દીઠ રૂ .20 અને એસી વર્ગમાં PNR દીઠ રૂ .40 નું કમિશન મળે છે. આ સિવાય, એજન્ટો પણ રૂપિયા 2,000 થી વધુની કિંમત માટે ટ્રાન્ઝેક્શનની 1% રકમ મેળવે છે.
એક મહિનામાં ટિકિટ એજન્ટો બુક કરાવી શકશે, તેની કોઈ મર્યાદા નથી. તેથી કોઈ એક મહિનામાં અમર્યાદિત ટિકિટ બુક કરાવી શકે છે. એજન્ટોને દરેક બુકિંગ અને ટ્રાન્ઝેક્શન પર કમિશન મળે છે. એક એજન્ટ દર મહિને 80,000 રૂપિયા સુધીની નિયમિત આવક મેળવી શકે છે. જો કામ ધીમું હોય તો પણ સરેરાશ 40-50 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે.
જો કોઈ આઈઆરસીટીસી એજન્ટ બનવા માંગે છે, તો તે 12 મું પાસ હોવો જોઈએ. જો તમે એજન્ટ માટે અરજી કરી રહ્યા છો તો તમારે પહેલા આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમારે આ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે પાનકાર્ડ, આધારકાર્ડ, મોબાઇલ નંબર, માન્ય ઇમેઇલ આઈડી, ફોટો, રહેણાંક સરનામું પ્રૂફ, જાહેરાત ફોર્મ વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે.
બુકિંગ એજન્સીઓ માટેની બે યોજનાઓ છે, પ્રથમ યોજના હેઠળ, એક વર્ષ માટે એટલે કે 3,999 રૂપિયા માટે એજન્સી ચાર્જ છે. બીજા પ્લાનમાં એજન્સી ચાર્જ બે વર્ષ માટે 6,999 રૂપિયા છે. જણાવી દઈએ કે જો તમારે આઈઆરસીટીસીના એજન્ટ બનવું છે, તો પહેલા તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો પડશે એટલે કે ડીડી. આ ડીડી 30,000 રૂપિયાની હશે અને તમારે તેને આઈઆરસીટીસીના નામે કરાવવી પડશે. જો કે, જો તમે પછીથી આ ડીલ રદ કરો છો, તો તમને 20,000 નું રીફંડ મળશે. ઉપરાંત, દર વર્ષે કરારના રિન્યુઅલ માટે 5000 રૂપિયા લેવામાં આવશે.