કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેઓ ભારતના લોકોની વચ્ચેના સંબંધોને તોડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ કહે છે કે ભારત એક ક્ષેત્ર છે, અમે કહીએ છીએ કે ભારત લોકો છે, સંબંધો છે. આ હિંદુ અને મુસ્લિમની વચ્ચે હિંદુ, મુસ્લિમ અને શીખની વચ્ચે તમિલ, હિંદી, ઉર્દૂ, બંગાળીની વચ્ચેનો સંબંધ છે. પીએમની સાથે મારી સમસ્યા એ છે કે તેઓ આ સંબંધોને તોડી રહ્યા છે.
કેરળના મલપ્પુરમમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ, જો તેઓ ભારતીયની વચ્ચે સંબંધ તોડી રહ્યા છે, તો તેઓ ભારતના વિચાર પર હુમલો કરી રહ્યા છે, તેથી હુ તેમનો વિરોધ કરુ છુ અને જે રીતે તેઓ ભારતીયની વચ્ચેના સંબંધોને તોડે છે, તે રીતે ભારતના લોકોની વચ્ચે સેતુનુ નિર્માણ કરવુ મારી પ્રતિબદ્ધતા, મારુ કામ છે, મારા કર્તવ્ય છે.
આ સાથે જ તેમણે કહ્યુ, દરેક વખતે જ્યારે તેઓ 2 ભારતીયોની વચ્ચે એક સેતુને તોડવા માટે નફરતનો ઉપયોગ કરે છે તો મારુ કામ તે પુલને ફરીથી બનાવવા માટે પ્રેમનો ઉપયોગ કરવાનુ છે અને આ માત્ર મારુ નહીં પરંતુ આપણુ કર્તવ્ય છે. હુ દેશની વિભિન્ન પરંપરાઓ, વિચારો, વિભિન્ન ધર્મો, વિભિન્ન સંસ્કૃતિઓને સમજ્યા વિના એક પુલનુ નિર્માણ કરી શકતા નથી.