દિવાળીના તહેવાર પહેલા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે. જેમાં 15 ઓક્ટોબરથી ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પુન : આરંભ થશે. ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દશેરાના પર્વથી ફેરીનો પુન: પ્રારંભ થઇ રહ્યો છે. હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી અંદાજે ચારથી પાંચ કલાકની થશે. હજીરાથી ઘોઘા આવવા માટે સવારે 8 કલાકે હજીરા ટર્મિનલથી ફેરી સર્વિસનો આરંભ થશે. જ્યારે ઘોઘાથી હજીરા જવા ,ઘોઘા ટર્મિનલથી બપોરે 3 કલાકે ફેરી સર્વિસ જળમાર્ગે રવાના થશે.